મુક્તકો
(૧)
અન્યના બાંધેલા માળખામાં કવિતા પૂરવી ગમતી નથી
અમે તો ડોલન શૈલીના અનુરાગી દલપત છંદબંધી ગમતી નથી
(૨)
અરે! મન ઝંખેલુ દેશથી પરદેશ ક્યારે જઈશ!
માડી, હું તો ત્રણ વરસમાં પછો આવી જઈશ
વર્ષો પછી,
ગયા ગોવિંદ ગોકુળ છોડી મથુરા માયાનગરી મઈ
હાં, ફરી ન આવ્યા, માને મનાવી એ જ દિલાસો દઈ
(૩)
ઇશ્વર આપે અમે ન લઈએ
ઇશ્વર માંગે અમે ન દઈએ
સપનાના સોદગર તોયે
સર્વ સમેટી રહીયે
‘મારું મારું’ કરતા કરતા જીવન જીવી જઈએ
(૪)
અગણિત અણજાણ્યા મનખા ના બોલે,ના અટકે
જો જાણીતો જાનમ ના બોલે ના અટકે,તો ખટકે
ચિત્તના ચકડોળે એ અવળો થઈ અટકે
ને રુદિયાની ચાદરમાં ચીટ્ટી સો ચટકે
(૫)
ચિત્તની ચંચળતા
મનની ભાગદોડ
અતૂટ શાંત કોલાહલ
(૬)
કાવ્યોમાં ભાવભીની લાગણીનુ નર્તન
સત્ય શિવમ પ્રણવનુ નૃત્યોમાં દર્શન
(૭)
હે સુજન! ના હારતોરા, એક ફૂલથી પણ ચાલશે
ના ગુણગાન દંભીના, ભીની નજર એક ચાલશે
ગુરુના આશ વચનો ના, આદેશ વચનો ચાલશે
રે ઇશ્! ના વર્ષો, બસ એક પળ નિકટ તવ ચાલશે
( ![]()
હું સાધુ જેવો, મારી જરુરત અમથી આટલી
ચાલ્યો પ્રવાસે ત્યારે જાણ્યુ,
મારી પાળી પળોજણ કેટલી!
(૯)
વતનમાં જ્યારે કે’તા કે, “ભાવનગરના મહેતા”
વતનવાસીઓ ઘણુંય સમજે,જરાક એટલુ કહેતા
પણ પરવતનના પરલોકી કેમ ન કાંઇ સમજતા
થાકી હું તો, બહુ સમજાવી પરિચય દેતા દેતા
Add comment June 14, 2007