માનભાઈ - શિશુવિહાર - ભાવનગર
March 25, 2008
મુરબ્બી ભાઈ
મુ.માનભાઈનો નિકટનો પરિચય ૧૯૬૮ માં થયો પણ એ પહેલા મારાં મનમાં એક પ્રસંગ પ્રેમપૂર્વક સંચવાયેલો હતો. હું બારેક વર્ષની હતી, એ સમયે શિશુવિહારનાં મંચ ઊપર બીજાં કવિઓ સાથે મારાં બા, ભાગીરથી મહેતાનું, તીલક કરી અને હાર પહેરાવી બહુ માન કરાવાયુ હતું. એવું પહેલા કે પછી મેં ક્યાંય કવિઓને આ રીતે માન અપાતા જોયું નથી. એ અનન્ય પ્રસંગ મારા ભોળા મન પર મીઠી છાપ મૂકી ગયેલ.
મુનિભાઈ અને ઇલાના સગપણ પહેલાની મુલાકાતૉમાં મુ.ભાઈ નિર્લેપ ભાવથી પ્રસન્નતાપૂર્વક બધૉ તાલ જૉયા કરતાં હતાં. કન્યાના પિતા તરીકે પૉતાનુ મહત્વ બતાવવા કૉઈ સવાલ પૂછ્યાનું મને યાદ નથી.એમની નમ્રતાનૉ પરિચય અમારા આખા કુટુંબને ત્યારે થઈ ગયૉ જ્યારે સગપણને દિવસે, આટલાં મોટા પ્રખ્યાત માણસ હોવાં છતાંય, મારા બાપુજીને પગે લાગ્યા. મારા બાપુજી એકદમ ગળગળા થઈ ગયા.
મારાં લગ્ન પ્રસંગે, મુનિભાઈને માનસિક ટેકૉ આપવાં, અમારાં નાનાં ગ્રુપમાં મુ.ભાઈ હાજર હતાં. એક વાત યાદ કરતાં આનંદ થાય છે કે જ્યારે જ્યારે હું અમેરિકાથી ભાવનગર આવતી ત્યારે ત્યારે પહેલી સવારનાં આઠેક વાગ્યાનાં અરસામાં મુ.ભાઈ સાયકલ પર ‘ગંગૉત્રિ’ આવી જ જાય. એ મુલાકાતથી મને ખૂબ ભીનૉ આવકાર મળી રહ્યૉ છે એવી પ્રતીતિ થતી. કોઈક વખત મારા મામા નાથાલાલ દવે અને મુ.ભાઈ એ પહેલી મુલાકાતમાં ભેગા થઈ જતાં ત્યારે ઑર આનંદ થતૉ.પછી પૂજય હીરાબા અને ઇંદાબહેન સાથે આવન જાવન થતી રહે પણ મુ.ભાઈની એ વહેલી સવારની મુલાકાત ખાસ વિશેષ હતી.
મારાં બાને, મુ.માનભાઈ તથા મુ.કાકા અને સર્વે કુટુંબી જનૉએ સ્નેહ અને સન્માન આપ્યાં છે એ યાદ કરતાં ખુશી થાય છે.
સરયૂ મહેતા-પરીખ
ટેક્સાસ,યુસએ
Entry Filed under: Uncategorized. .
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed