નિખાલસતા
September 6, 2008

નિખાલસતા
કર્તા ને ભોક્તાનો વ્યથિત મનભાવ
અહંકાર પ્રેરિત મનવૃત્તિ પ્રતિભાવ
વિચારોના વમળે ચકરાવે ચિત્તનાવ
દીનહીન વાસનાને ડંખે અભાવ
અહંમ ને અપેક્ષા અટકાવે આનંદ
જ્યમ,કંટક હો કંઠમાં, ભોજન બેસ્વાદ
‘ હું ‘ સાંચો સતવાદી વિતંડાવાદ
સ્વાભિમાન નામે વૈર ને વિખવાદ
વિક્રાંતિક વાણીમાં અક્ષર મૂલવાય
શબ્દોના અર્થોમાં પંડિત અટવાય
મિતભાષી નમ્ર ગુણી વ્હાલથી મલકાય
સ્વચ્છ સ્ફટિક અંતરમાં ભક્તિ છલકાય
Entry Filed under: કાવ્યો. .
Trackback this post | Subscribe to the comments via RSS Feed