મહાભારતના પાત્રો
November 1, 2008

જીજ્ઞાસુ અર્જુન ગીતાનો જ્ઞાનપ્યાસમાં વિચરે
દ્રોણાચાર્ય હું બની ફરું ગત કર્મોના સંસ્કારે
આ દુર્યોધન જે વસે મહીં, કામ ક્રોધ આધારે
મન સત્તાધારી ધૃતરાષ્ટ્ર જે મોહવશ થઈ રાજ કરે
માયાળુ ને પ્રેમભર્યા એ ’હું’ કર ભીષ્મ દુઃસંગ કરે
સમતા જ્ઞાન વિવેક છતાંયે કુરુકાંત આસક્ત રહે
પાંચ ચક્રને જાગ્રત કરતી પાંચાલી વશીકાર બને
કૃષ્ણ એ મારો અંતર આત્મા નહીં રે મંદિર મંદિરે
કુરુક્ષેત્રની લખી કહાણી અનેક પાત્રો વાળી
મુનિવ્યાસ તમ વાર્તા શૈલી ગહન અતિ મર્માળી
——————————
અર્જુનઃ સાધક. દ્રોણાચાર્ય: સંસ્કાર.
દુર્યોધનઃ કામના. ધૃતરાષ્ટ્રઃ મોહાંધ.
ભીષ્મઃ અહંકાર. પાંચાલી, દ્રૌપદીઃ કુંડલિની.
કુરુક્ષેત્રઃ શરીરક્ષેત્ર.
મારી સમજ અનુસાર, નમ્રતાપૂર્વક-Saryu
Entry Filed under: કાવ્યો. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
jugalkishor | November 28, 2008 at 9:38 am
કુરુક્ષેત્રઃ શરીરક્ષેત્ર –( ગીતામાં કહેલી વાતનું સરસ અર્થઘટન;)
પાંચાલી, દ્રૌપદીઃ કુંડલિની.
પાંચ ચક્રને જાગ્રત કરતી પાંચાલી વશીકાર બને (સચોટ પંક્તીઓ; અહીં ઉમાશકરની બે પંક્તીઓ યાદ આવે છે –
પાંચ આંગળી જેવા હતા પાંચ પાંડવ;
વળી જે મૂક્કી જે કિંતુ દ્રૌપદીના પ્રભાવથી !)
આ દુર્યોધન જે વસે મહીં, ( “જાનામિ ધર્મમ્ ન ચ મે પ્રવૃત્તી” વાળું એનું પ્રસીદ્ધ વાક્ય સૌને કેવું લાગુ પડે એ તે વાત તમારી આ પંક્તીમાં સરસ સ્ફુટીત થાય છે.)
ધન્યવાદ.