ચતુરા

ચતુરા

કોને  કહું કે  એમને,  સમજણ  કશી પડતી નથી,
દુન્યવિ આ ગતરમતની, ગતાગમ પડતી નથી.

જાય ત્યાં ત્યાં આપી આવે નવ નવા એ ઉપરણાં,
શું આપવું, ના આપવું, એ  ગતાગમ પડતી નથી.

કો’ આવીયા  આંગણ   ઉભાને,  આવકારે દોડતા,
પોતા-પરાયા ભેદની,સમજણ કશી પડતી નથી.

માંગે, વગર માંગે એ બસ,  આપે  સહુને પ્રેમથી,
ભેગુ  કરીને  રાખવાની,   ગમ કશી પડતી નથી.

ભલાઈ  ભોળપ સાદગી, કહે “જેમ છે તે ઠીક છે,”
દેખાવ  સારો  કેમ કરવો, ગતાગમ પડતી નથી.

જગ  નવાજે  એમને  અતિ માનથી સન્માનથી,
પણ  હું ચતુરા જાણુ  કે એને સમજ  પડતી નથી.
————–


ઉમદા, ઉદાર અને સરળ સજ્જનના, ચતુર પત્નીની મનોદશા.

એક કટાક્ષકાવ્ય.
અહીં નરસિંહ મહેતા જેવા વ્યક્તિ અને દુનિયાદારીને મહત્વ આપતી પત્નીની વાત છે.


3 Comments (+add yours?)

  1. pravina
    Dec 24, 2011 @ 23:44:24

    એ ભલે માને,મને કશી ગતાગમ પડતી નથી
    હ્રદયના ભાવ પ્રદર્શિત કરવાની આદત નથી

    દરેકને બોલવાની આદત હોતી નથી.
    સ્વાનુભાવથી કહું છું

    સુંદર રચના

    Reply

  2. Charoo Doctor
    Dec 13, 2011 @ 16:20:41

    Very nice. I think it is common universal complain….
    Very few can express in such a wonderful writting….

    Happy Holidays and Jai Shri Krushna
    Charoo Doctor

    Reply

  3. DR. CHANDRAVADAN MISTRY
    Dec 10, 2011 @ 22:44:28

    સર્યુબેન,

    આ પોસ્ટ એક સુંદર ભાવભર્યું કાવ્ય છે…..આવી જ આપવાની ભાવનાઓ જાગૃત થતા જીવનનો બેડો પાર થઈ જાય છે !..ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Your REVISITS to Chandrapukar are appreciated !

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.