અષ્ટ પ્રહર આનંદ…
હો ત્રયોદશી કે ચતુર્દશી
હો દિપાવલી કે પ્રથમ તિથિ
મનમાં જો માધવ આવે
તો અષ્ટ પ્રહર આનંદ રહે.
નંદ વસે આનંદકંદ ને
કવિતામાં પણ છંદ રહે.
અઢળક અગણિત મંત્ર મળે
ગોવિંદ મુરારિ મુકુંદ મળે.
પ્રત્યેક પળે જો યોગ મળે
ગીતાગીતનો સંયોગ મળે
તો જીવનને પણ અર્થ મળે
જો કૃષ્ણસંગનું સ્વર્ગ મળે.
અજ્ઞાન તિમિર અદ્રશ્ય થાય
જો નારાયણનું નામ મળે
આદિત્ય અંતરે રહી જાય.
પ્રતિસાદ મળે ને પ્રસાદ મળે.
હરીશ દાસાણી.મુંબઈ.
Rangoli by Ila Mehta. Happy Diwali
નવેમ્બર 03, 2021 @ 17:00:29
મનનીય ભાવવાહી કૃતિ.
Sent from my iPhone
>
LikeLike