ઓપિનિયન મેગઝિનમાં કવિ નાથાલાલ દવેના લેખને આમંત્રણ આપવા માટે શ્રી વિપુલ કલ્યાણીનો આભાર. સરયૂ પરીખ.
Gujarati and English-મારા આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારોનું ઉદભવ સ્થાન..સરયૂ દિલીપ પરીખ. Saryu
12 જાન્યુઆરી 2024 5 ટિપ્પણીઓ
in કાવ્યો
ઓપિનિયન મેગઝિનમાં કવિ નાથાલાલ દવેના લેખને આમંત્રણ આપવા માટે શ્રી વિપુલ કલ્યાણીનો આભાર. સરયૂ પરીખ.
SARYU PARIKH
જાન્યુઆરી 17, 2024 @ 16:43:14
૧. અશોક વિદ્વાંસ લખે છેઃ સરયુબેન, તમારા મામા અને પચાસેક વર્ષ પૂર્વેના આપણા જાણીતા કવિ શ્રી નાથાલાલ દવે વિષેનો તમારો લેખ ખૂબ સરસ છે. એમની કેટલીક અંગત માહિતી આપીને તમે એમનો નીકટનો પરિચય કરાવ્યો છે.
લેખ વાંચતાં મને ગમે છે અને મોંઢે યાદ છે એવાં એમનાં ત્રણ ગીત યાદ આવ્યાં.
પહેલુંઃ આઝાદી આવી ત્યારે એને વધાવવા લખેલું અને મેં અમદાવાદની ચી. ન. વિદ્યાવિહારમાં સાંભળેલું ને ગાયેલું, “ચાલો મોરી કારવાં, ચાલો મોરી કારવાં …… વીતી અંધારી રાત, જાગે જાગે જહાં, ચાલો મોરી કારવાં ….” .
બીજુંઃ ૧૯૫૭-૫૮ આસપાસ આવેલા “જાગ્રુતિ” સિનેમાના પ્રખ્યાત ગીત “આઓ બચ્ચો તુમ્હે દિખાયેં ઝાંકી હિન્દુસ્તાનકી ….. “ ના ઢાળ પર એમણે રચેલું “મૂર્તિ જ્યાં સર્જાઈ રહી છે એક નવા ઇન્સાનની, ચાલો દોસ્તો ખૂંદી વળીએ ધરતી હિંદુસ્તાનની ….. “.
અને ત્રીજુંઃ ભૂમિદાન પદયાત્રા દરમિયાન ૧૯૫૯-૬૦ માં વિનોબાજી ભાવનગર જિલ્લામાંથી પસાર થયેલા. ત્યારે તમારા મામા વિનોબાજીની આગળ-આગળ ચાલીને એ આખા માર્ગે આવતાં બધાં ગામોમાં પહોંચી ત્યાં વિનોબાની પદયાત્રાનું પ્રયોજન સમજાવતા હતા. ત્યારે એ સંદેશો લોકો સમજી જાય એવી ભાષામાં મૂકવા એમણે પ્રખ્યાત ભજન “હારે દાણ માગે કાનો દાણ માગે” ના ઢાળમાં “હારે દાન માગે જોગી દાન માગે ….. “ ભજન રચેલું.
આ ત્રણે ગીત (એમણે રચેલાં બીજાં અનેક ગીતની જેમ જ) ત્યારે ખૂબ લોકપ્રિય થયેલાં. મારું સદ્ભાગ્ય કે બીજું અને ત્રીજું ગીત, સોનગઢ ગામની અમારી શાળા “ગુરૂકુળ હાઈસ્મકુલ”માં મને પ્રત્યક્ષ એમની પાસેથી જ સાંભળવાનો લ્હાવો મળેલો.
તમારા મામા તો સરયૂબેન, પોતે જ એક જોગી હતા. અશોક વિદ્વાંસ.
૨. Harish Bhatt. નાનપણમાં જોયેલા જાણેલાં પૂ શ્રી. ‘નાથામામા’ની યાદ તાજી કરાવી દીધી. તમે સૌ ‘વૃજ વિહાર’ પાડોશમાં જ હતાં, અને વીરભદ્ર અખાડે રમતાં જોયેલ દિવસોની મીઠી યાદો તાદ્ગશ્ય થઇ ગઈ. હરિશ ભટ્ટ.
૩. બળભદ્ર ભટ્ટઃ ખૂબ સરસ, આભાર છે, ઘણી વાતો ઉદ્ભવે છે, ગાંધી યુગ યાદ આવી જાય છે.
LikeLike
Anil Sheth
જાન્યુઆરી 14, 2024 @ 23:26:43
લેખ હ્રદયસ્પર્શી છે. મામા નાથાલાલ દવે અને ભાગીરથી બા પાસેથી શીખવાનું મળે છે.
૨૦૨૩માં સરયૂબેન, મુનિભાઈ અને ઈલાબેનનો ભાવનગરમાં હાઈસ્કૂલની મુલાકાત લેખ પણ બહુ સરસ છે. અનિલ શેઠ.
LikeLiked by 2 people
Nayna Bhatt
જાન્યુઆરી 14, 2024 @ 03:57:36
👌👌ગમ્યું.
LikeLiked by 1 person
JapeshHathi
જાન્યુઆરી 15, 2024 @ 03:43:40
ઘણા વખતે, કેમ છો? મારી ભૂલ ના થતી હોય આપણે એટલે કે તમે, શ્રી અરવિંદભાઈ અને હું SirPP મા સાથે હતા…
LikeLike
JapeshHathi
જાન્યુઆરી 13, 2024 @ 03:36:59
જય હાટકેશ…
અતિ સુંદર…
મુ. વડીલ કવિ શ્રી નાથાલાલ દવેના સ્મરણો પુનઃ તાજા થઈ ગયા…
આભાર, સરયૂબેન…
LikeLiked by 3 people